સન્ની વાઘેલા , સુરેન્દ્રનગર
રાજ્યમા વધતી જતી ખેડુતોની પાયમાલી અને અન્યાયને લઇને આવતી કાલે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા હાઇવે પર ખેડુત એકતા મંચ દ્વારા ખેડુતોની મહાસભાના આયોજન કરાયું છે. જેમા ખેડુતોને પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની સાથે ખેડુતોની માંગોની પણ ચચાઁઇ કરવામા આવશે સાથે જ ખેડુતો સાથે થઇ રહેલા અન્યાયને લઇને આગામી સમયમા ખેડુતોની રણનિતી પણ આયોજન કરવામા આવશે. ચોટીલા હાઇવે પર મહાસભા દરમિયાન ખેડુત આગેવાનોને તથા દિગ્ગજો નેતાઓ જેમા પાલભાઇ આંબલીયા, સાગરભાઇ રબારી,રાજુભાઇ કરપડા, રામકુભાઇ કરપડા, ભરતસિંહ સહિત મોટા સંખ્યામા ખેડુતો હાજર રહેશે.