Aapnu Gujarat
Uncategorized

એએમટીએસના પાસની મુદત વધારાશે

કોરોના મહામારીના પગલે બંધ પડેલ એએમટીએસ બસ સેવાના પાસ ધારકો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. એએમટીએસના પાસ ધારકો માટે પાસની મુદતમાં વધારો કરવાનો ર્નિણય એએમસી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે . આથી પાસ ધારકોને બાકી રહેતા દિવસ મુજબ વેલિડીટી વધારી અપાશે.એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ૧૮ માર્ચથી ૬ જૂન સુધી શહેરમાં કોરોના સંક્રમણ અને કોરોના કેસ સતત વધતા કેસની સંખ્યાને પગલે એએમટીએસ બસો બંધ રાખવાનો ર્નિણય તંત્ર દ્વારા લેવાયો હતો . આ સમયગાળામાં એએમટીએસના મુસાફરીને લગતા માસિક / ત્રિમાસિક / મન પસંદ પાસ જે પણ પાસ ધારક પ્રવાસીઓ કાઢેલ હશે . તેવામાં કોરોના પગલે બંધ રહેલ સેવા એટલા સમય દરમ્યાન જે પણ પાસ ધારક પાસનો ઉપયોગ કરી શક્યો ન હોય . તેવા પાસ ધારકો માટે પાસની વેલિડીટી વધારી આપવામા આવશે .કારણ કે, ત્રણ મહિના બસ બંધ હતી એને ધ્યાનમાં લઇ બાકી રહેતા દિવસો સરભર કરી અપાશે. પાસ વેલિડીટી વધારવા માટે રિટઝ હોટલ લાલ દરવાજા , સાંરગપુર ટર્મિનલ , વાડજ ટર્મિનલ ખાતે સવારે ૮ઃ૩૦ થી બપોરના ૩ સુધી આ બાબતમાં જાહેર રજા કે તહેવારના દિવસો સિવાય આગામી ૧૫ જૂન થી ૨૬ જૂન દરમિયાન જવાનું રહેશે.વધુમા ચેરમેન પટેલે જણાવ્ય હતુ કે, આ ર્નિણય કરવાથી ૧૨૦૦થી વધુ પાસ ધારકોને ફાયદો થશે. એએમટીએસ દ્વારા એએમસી બસમાં મુસાફરી કરતા ૧૨૦૦ જેટલા પાસ ધારકોને ત્રણ મહિના બસો બંધ હતી એ સમય દરમિયાન પાસ ધારકો પાસનો ઉપયોગ કરી શક્યા ન હોવાથી પાસની વેલિડીટી વધારી આપવા ર્નિણય લેવામા આવ્યો છે . પાસ ધારકોને બાકી રહેતા દિવસો મુજબ વેલિડીટી વધારી અપાશે

Related posts

જુનાગઢ જિલ્લાનાં આણંદપુર ગામમાં ડૉ. આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરાયું

aapnugujarat

સોમનાથ મહાદેવના દર્શન-પૂજા કરી ધ્વજારોહણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

aapnugujarat

ભાવનગરના આરતીબેન પરમારે 14,500 ફૂટની ઊંચાઇ પર આવેલ પતાલસુ પીક સફળતાપૂર્વક આરોહણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1