તા.૨૩ મેનાં રોજ જૂનાગઢ જિલ્લાના આણંદપુર ગામે ડો.આંબેડકર ભવનનું ખાતમુહુર્ત ગુજરાત સરકારના સંસદીય સચિવ શ્રી જેઠાભાઇ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય દલિત મહાસંઘના જીતુભાઇ મણવર, દેવદાન મૂછડીયા, સુરેશભાઇ પરમાર, ચંદુ મકવાણા તથા ગામના સ્થાનિક આગેવાનો અને સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને વધાવી લીધો હતો. જેઠાભાઇ સોલંકીએ હાજર રહેલા તમામ લોકોને વ્યસન મુક્તિ કરાવી શપથ પણ લેવડાવ્યા હતા
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)