ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયુ છે. તેઓ 91 વર્ષના હતા. તે થોડા સમય અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા.તેમને સાઉથ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત વધારે ખરાબ થતાં આજે હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.સોલી સોરાબજી બે વાર દેશના એટોર્ની જનરલ રહી ચુક્યા હતા.૧૯૭૧માં સુપ્રીમ કોર્ટ દ્વારા સિનીયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2002માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ