અમદાવાદમાં બોપલ – ઘુમાના એસ.સી. સમાજના ભાજપના આગેવાન મિનેષ વાલ્મિકીના નિવાસ સ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર જી નો ‘‘ભીમ જ્યોત’’ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રધુમન વાજા અને ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા, ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, થલતેજ વોર્ડના મ્યુ. કાઉન્સિલર ઋષીના પટેલ, નીરૂ ડાભી, ‘આપણું ગુજરાત’ દૈનિકના તંત્રી દેવેન વર્મા, થલતેજ વોર્ડના પ્રમુખ અને મહામંત્રી, બોપલ – ઘુમાના ભાજપના કાર્યકર્તાઓ અને બોપલ-ઘુમા સમસ્ત એસ.સી. સમાજના આગેવાનો, ઠાકોર સમાજના આગેવાનો, આર.એસ.એસ.ના કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.