માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોનાં પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે ‘‘સ્વાગત ઓન લાઇન’’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તા.૨૬/૧૦/૧૭નાં ગુરૂવારે જિલ્લા કક્ષાનાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથક વેરાવળ ખાતે અને દરેક તાલુકા મથકે તા.૨૫/૧૦/૧૭નાં રોજ બુધવારે તાલુકા કક્ષાનાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.
જિલ્લા કક્ષાનાં પ્રશ્નો જિલ્લા કલેક્ટર કચેરી, ગીર-સોમનાથ, વેરાવળ ખાતે તા.૨૬/૧૦/૧૭ને ગુરૂવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરીનાં સભાખંડમાં કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાનાં અધિકારીઓ અરજદારોને સાંભળશે જ્યારે તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા.૨૫/૧૦/૧૭ નાં બુધવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદારશ્રી અને સંબંધિત ખાતાનાં અધિકારીઓ અરજદારોને સાંભળશે તેમ નિવાસી અધિક કલેક્ટર ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.