Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્‍લાકક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મી ના રોજ યોજાશે : તાલુકાકક્ષાનો સ્વાગત ફરીયાદ કાર્યક્રમ તા. ૨૫ મી ના રોજ યોજાશે

માન. મુખ્‍યમંત્રીશ્રી દ્વારા લોકોનાં પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે ‘‘સ્‍વાગત ઓન લાઇન’’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તા.૨૬/૧૦/૧૭નાં ગુરૂવારે જિલ્‍લા કક્ષાનાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્‍લા મથક વેરાવળ ખાતે અને દરેક તાલુકા મથકે તા.૨૫/૧૦/૧૭નાં રોજ બુધવારે તાલુકા કક્ષાનાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

જિલ્‍લા કક્ષાનાં પ્રશ્નો જિલ્‍લા કલેક્ટર કચેરી, ગીર-સોમનાથ, વેરાવળ ખાતે તા.૨૬/૧૦/૧૭ને ગુરૂવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરીનાં સભાખંડમાં કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાનાં અધિકારીઓ અરજદારોને સાંભળશે જ્યારે તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા.૨૫/૧૦/૧૭ નાં બુધવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદારશ્રી અને સંબંધિત ખાતાનાં અધિકારીઓ અરજદારોને સાંભળશે તેમ નિવાસી અધિક કલેક્ટર ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

जामनगर पुलिस ने अपराधियों के खिलाफ छेड़ा अभियान

editor

West Bengal assembly passed resolution against CAA

aapnugujarat

સુરેન્દ્રનગરમાં રહસ્યમય રીતે ૧૯ ગાયનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1