ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે, ધોરાજી આજ થી સીનીયર સીટીઝન અને 45 થી 59 વર્ષના કોર્મોબીડ લક્ષણો ધરાવતા નાગરીકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે. સરકારી આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક, ખાનગી હોસ્પિટલમાં રૂ.250 ચાર્જ લેવાશે.
શહેરની સરકારની હોસ્પિલખાતે ગાઇડલાઇન મુજબ ધોરાજી તાલુકામાં સોમવારથી 60 વર્ષથી વધુ વયના તમામ તથા 45 થી 59 વર્ષના કોર્મોબીડ એટલે કે હ્દય રોગ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હાયપર ટેન્શન, કેન્સર, કીડનીની બિમામીર ધરાવતા તમામ લોકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અપાવની શરૂઆત કરવામાં આવશે. આ રસીતાલુકામાં આવેલા સામૂહીક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે આપવામાં આવશે. જયારે ખાનગી હોસ્પિટલમાં મહતમ રૂ.100 વહીવટી અને રૂ.150 રસીના મળી કુલ રૂ.250 ચાર્જ લેવાશે. રસીકરણ સમયે આ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે