સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા રમીઝ એપાર્ટમેન્ટ નજીક શોર્ટસર્કિટના કારણે આગ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેથી એપાર્ટમેન્ટના રહીશોની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટરપેટીનો ધુમાડો ઉપર સુધી આવી ગયા હતા. લોકોમાં ડર નો માહોલ પેદા થઇ ગયો હતો.લોકોએ જીવ બચાવવા બારી માંથી નીકળવું પડ્યું હતું. ફાયરબ્રિગડે દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો