પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલ જીલ્લામાં આજે કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ થયો હતો.
આરોગ્ય સેવાઓ, પોલિસ અને તંત્રના અન્ય ફ્રન્ટલાઈન વોરિયર્સને રસીકરણ બાદ રસીકરણના આગામી તબક્કાના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. શહેરા તાલુકામાં આવેલા બ્લોક હેલ્થ કચેરી ખાતે રસીકરણ કેન્દ્ર ઉભુ કરવામા આવ્યુ હતુ. જેમા ૬૦ થી વધુ ઉમરના વ્યક્તિઓને રસી મુકવામા આવી હતી. 45 વર્ષથી 59 વર્ષના ગંભીર બિમારીઓથી પીડાતા વ્યક્તિઓને પણ વિનામૂલ્યે રસી આપવામાં આવશે,આ રસી જિલ્લાની 11 સી.એચ.સી., 42 જેટલી પબ્લિક કોવિડ-19 વેક્સીનેશન સેન્ટર તેમજ ગોધરામાં પી.ટી. મીરાણી, શ્રી ઓર્થોપિડીક, સનરાઈઝ હોસ્પિટલ ખાનગી વેક્સિનેશન સેન્ટર ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી..