શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત યોગ શિબિર જે યોગાચાર્ય શ્રી સ્વામી આધ્યાત્માનંદજી મહારાજ નિર્દેશિત-૮૦૬મી યોગ શિબિરનો શ્રી સોમનાથ પથિકાશ્રમ ડોમ ખાતે આજથી પ્રારંભ થયો હતો. શિવાનંદ આશ્રમ (અમદાવાદના) સુપ્રસિધ્ધ યોગાચાર્ય શ્રી સ્વામી આધ્યાત્માનંદજી મહારાજ દ્વારા સવારે ૦૬ઃ૦૦ થી ૦૭ઃ૩૦ સુધી યોગ શિબિર કરાવવામાં આવેલ, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં એન બહોળી સંખ્યામાં લોકોએ આ યોગશિબિરમાં યોગ શીખવાનો લાભ લીધો હતો.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)