શ્રાવણ મહિનાના અંતિમ દિવસે માનવ મહેરામણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. સોમનાથ મહાદેવને અમરનાથ દર્શન શ્રૃંગાર અને છપ્પનભોગ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા. શ્રાવણ દરમ્યાન સોમનાથ મહાદેવને ૨૩૬ ધ્વજારોહણ, ૧૩૧ તત્કાલ મહાપુજા, ૬૩ સવાલક્ષ બિલ્વપુજા કરવામાં આવેલ. કરોડો લોકોએ શ્રાવણ દરમ્યાન સોશ્યલમીડીયા માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરેલ હતા.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ