આજે સમગ્ર દેશમાં પેટ્રોલ -ડીઝલના ભાવથી હાહાકાર થઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચી ગયા છે. વિપક્ષ દ્વારા સરકાર પર હુમલો કરવામાં આવ્યો હતો,સોનિયા ગાંધી એ ચિઠ્ઠી લખી ને સરકાર પર ભાવ વધારા ને લઈને પ્રહાર કર્યા હતા કે, 7વર્ષ થી બીજેપી સરકાર સત્તા પર છે.તો સરકાર દ્વારા ભાવ વધારા પર શું પગલા લેવામાં આવ્યા તેમજ ભાવ વધારા અંગે કારણ જણાવા કેહવામાં આવ્યું હતું. ત્યારે સરકારે “ઇંધણના ભાવ વધારા પાછળના બે મુખ્ય કારણો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બળતણનું ઉત્પાદન ઘટી ગયું છે અને ઉત્પાદક દેશો વધુ નફો મેળવવા માટે ઓછા બળતણનું ઉત્પાદન કરી રહ્યા છે. આનાથી ગ્રાહક દેશો મુશ્કેલી ભોગવી રહ્યા છે.”કેટલીક જગ્યાએ પેટ્રોલના ભાવ ૧૦૦ થઇ ગયા છે.