વીરપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેન હવે યાત્રાધામ વિરપુર સ્ટેશન પર હવેથી રોકાશે રેલવે તંત્રના આ નિર્ણયથી ભાવિકોમાં આંનદ...
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો ભાવિકો આવતા હોય છે તે માટે કોરના મહામારીના કારણે બંધ થયેલી સોમનાથ-જબલપુર ટ્રેન હવે ફરીથી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિરપુર સ્ટેશન પર સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે,પોરબંદર મતવિસ્તાર સાંસદ રમેશભાઈ ધડુક તેમજ વિરપુર રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નરેશભાઈ ચાંદ્રાણીની ભાવનગર ડિવિઝનમાં રજુઆતને સફળતા મળી છે ત્યારે વિરપુર આવતા ભાવિકોએ તેમજ વિરપુર ગ્રામજનોએ રેલ્વે તંત્રનો આભાર માન્યો હતો.આ નિર્ણયથી ભાવિકોએ તેમજ વીરપુર વાસીઓએ ટ્રેન ડ્રાયવરના મો મીઠા કરાવી આભાર માન્યો.