ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સ્વ. સાહિલકુમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જે.સી.આઇ દ્વારા ખાસ ઇજાગ્રસ્ત થતાં અન્ય લોકોને લોહીની સેવા માટે અન્ય રક્તદાન એક્યુપ્રેશર કેમ્પ યોજીને વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ રકતદાન કરી સ્વ. સાહિલકુમાર લાખાણીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, રાજુભાઈ પેથાણી દ્વારા રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને પ્રવિણ લાખાણી, દલસુખભાઈ વાગડિયા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદ વોરાસ સંદીપભાઈ ટોપિયા, કેતનભાઇ કુંડાળીયા, રૂપાલસિંહ જાડેજા, હિરેનભાઈ ઠેસિયા, દિલીપભાઈ પૂર્વ આહીર, અગ્નિ હિરેનભાઈ વસ્તાભાઇ, રજનીભાઈ રૂપાપરા, મોહનભાઈ દુધાત્રા, વિનુભાઈ દુધાત્રા, વરુણભાઈ વઘાસિયા, વિનોદભાઈ લાખાણી, ચિરાગ કુંડળીયા, સંજયભાઈ કાકડીયા, કિશોરભાઈ વિમલભાઈ કોયાણી, અશ્વિનભાઈ વઘાસીયા, અંકિતભાઈ રાખોલીયા, અશોકભાઈ તેમજ ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતાં. જેસીઆઈ ના પ્રમુખ તરીકે દલસુખભાઈ વાગડીયાની નિમણૂંક કરવામાં આવી હતી. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
(તસવીર – અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)