ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ટેકાના ભાવે તુવેર વેચવામાં ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. ધોરાજી ખાતે ટેકાના ભાવે તુવેર વેચવા કુલ એક હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ દ્વારા ૭૦૦ જેટલા ખેડૂતોને તુવેર વેચવા માટે આવવાનો મેસેજ કરી દેવામાં આવ્યો છે. ખરીદ કેન્દ્ર પર આરોગ્ય વિભાગ સ્ટાફની ટીમ હાજર રહે છે અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબની દરેક તકેદારી રાખવામાં આવી રહી છે.
કેટલાંક ખેડૂતોનું કહેવું છે કે, હજુ સુધી તુવેરનો પાક તૈયાર થયો ન હોવાથી વેચવા આવી શકાય એમ નથી. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની એવી માંગ છે કે, તુવેર ખરીદીની તારીખ વધારવામાં આવે.
(તસવીર – અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)