ગુજરાત અમદાવાદ ના રુહાની ચિરાગ હજરત સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન શાહે આલમ બુખારી રહેમતુલ્લાહ અલયહે ના ૫૬૨માં ઉર્ષ પ્રસંગે દરગાહના ગાદીપતિ ટ્રસ્ટ્રી સૈયદ અબ્દે મુનાફ બાપુમીયા (શહે જલાલ )બાવા સાહેબ દ્વારા ચાદર પોશી તેમજ ગલેફ શરીફ તેમજ સંદલ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિજાપુરના આસ્તાન એ શાહયા ના બુઝુર્ગ સૈયદ મહેમુદ બુખારી તખલ્લુસ સૈયદ સલાઉલ મુલ્ક બુખારી રહેમતુલ્લાહ અલયહે ના શજજાદા ઓ એ હાજરી આપી હતી જેમાં અમદાવાદ ના સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન શાહ આલામ બુખારી દરગાહ ના સજ્જાદા નશીન ટ્રસ્ટ્રી અબ્દે મુનાફ બુખારીની સાથે દુવા એ કરવામાં આવી હતી અને કોરોના મહામારી દુર થાય તે માટે દુવા કરવામાં આવી હતી. ઉર્ષમાં સરકારની ગાઈડ લાઇનનો પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, અમદાવાદ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ