સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર શહેરના સરદાર નગર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ માં ગઈકાલે રક્ષાબંધનનો પર્વ ભારે ઉત્સાહથી ઉજવાયો ગુરુકુળની વિદ્યાર્થિનીઓ સંસ્થાના દરેક વૃક્ષોને રાખડી બાંધી લોકોને એક નવો સંદેશો આપ્યો છે કે પૃથ્વી ઉપર દરેક સજીવ સૃષ્ટિ માટે પર્યાવરણ અને વૃક્ષોની કેટલી જરૂરિયાતો છે સંસ્થાના સંચાલક કેપી સ્વામીએ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓ એક વૃક્ષ દત્તક લે અને તેની માવજત કરે જો દરેક વિદ્યાર્થી અને યુવાનો પર્યાવરણ અને વૃક્ષોનું જતન કરે તો ગુજરાતમાં ભાવનગર ગ્રીનસીટી થઈ જાય કે.પી સ્વામી તથા આચાર્ય મહેન્દ્રભાઈ માથોળીયાઍ વૃક્ષોના જતન માટે અભિનંદન આપ્યા હતા.