મળતી માહિતી મુજબ, ભારત સહિતના દેશો તાત્કાલિક તેમના નાગરિકોને યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાંથી બહાર કાઢી રહ્યા છે. અફઘાન સરકારના પતન અને તાલિબાન દ્વારા તેના કબજાના પગલે આ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કાબુલ એરપોર્ટ પર આજકાલ ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે, કારણ કે તાલિબાનથી ભાગી જવાની કોશિશમાં હજારો અફઘાની એરપોર્ટ પર ઉમટી પડ્યા છે. ભારતે રવિવારે ત્રણ અલગ અલગ ફ્લાઇટમાં લગભગ 400 લોકોને પરત લાવ્યા હતા. 87 ભારતીય અને બે નેપાળી નાગરિકોના અન્ય જૂથને આઇએએફ વિમાનમાં તાજીકિસ્તાનની રાજધાનીમાંથી બહાર કાઢવામાં આવશે. એક દિવસ બાદ દુશાંબેથી એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટમાં પરત લાવવામાં આવ્યા હતા. યુએસ અને નાટોના વિમાનો દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા માટે ખાલી કરાયેલા 135 ભારતીયોને ખાસ ફ્લાઇટમાં દિલ્હી પરત લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલય એ કહ્યું છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનથી તમામ ભારતીય નાગરિકોની સુરક્ષિત પરત ફરવા માટે પ્રતિબદ્ધ છે.