ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની નિધન થયું છે. કલ્યાણ સિંહ 48 દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા અને હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા લખનઉ જઈ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત અન્ય મોટા નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના આજે નરોરા ખાતેના રાજઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે કલ્યાણ સિંહનું નિધન ભાજપ માટે મોટી ખોટ છે. કલ્યાણ સિંહના નિધન પર યુપીમાં ત્રણ દિવસનો રાજ્ય શોક છે. ભાજપે આવતીકાલ સુધી તેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.
આગળની પોસ્ટ