મળતી માહિતી મુજબ,દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે રાજધાનીના કનોટ પ્લેસ વિસ્તારમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે 1 કિલોમીટરની ત્રિજ્યામાં હવાની ગુણવત્તા સુધારવા માટે 20 મીટરથી વધુ ઉંચો ટાવર છે.સ્મોગ ટાવર પ્રતિ સેકન્ડ 1,000 ઘન મીટર હવા શુદ્ધ કરશે. સ્મોગ ટાવરની કામગીરી પર નજર રાખવા માટે સ્થળ પર કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. પ્રદૂષણ સામે લડવા માટે, આજે દિલ્હીમાં ભારતનો પહેલો સ્મોગ ટાવર સ્થાપિત કર્યો છે. તે એક કિલોમીટરની રેન્જમાં હવાને સ્વચ્છ કરવામાં મદદ કરી શકે છે. તેને પ્રયોગના આધારે સ્થાપિત કરવામાં આવી છે અને તેમાંથી ડેટા IIT-Delhi અને IIT-Bombay દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે.