બોર્ડર સિક્યોરિટી ફોર્સે ગુરુવારે સવારે પંજાબ નજીક આંતરાષ્ટ્રીય સરહદ પાસે બે પાકિસ્તાની હથિયારધારી ઘુસણખોરોને ઠાર કરી દીધા છે. બીએસએફના પ્રવક્તાએ જણઆવ્યા મુજબ મધરાતે ૨.૨૦ વાગ્યે અમૃતસર નજીકની રાજાતલ સરહદ પોસ્ટ ખાતે ઘૂસણખોરની પ્રયાસ નિષ્ફળ કરાયો હતો અને સુરક્ષાકર્મીઓએ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરનાર બે પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા હતા. બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન અટારી સરહદથી ૩ કિ.મી. નજીક પગલાંના નિશાન મળ્યા હતા અને સઘન તપાસ કર્યા બાદ બે પાક. ઘુસણખોરો મળતા તેને ઠાર કરવામાં આવ્યા હતા. મૃતકો પાક.ના ઘુસણખોરો હતા અને તેમની ઓળખ હવે પથી કરવામાં આવશે.બન્ને ઘુસણખારો પાસેથી એક-૪૭ રાઈફલ ઉપરાંત એક પિસ્ટલ, ૯૦ બુલેટ, ૫ મેગેઝિન અને બે પીવીસી પાઈપ મળ્યા હતા. આ પીવીસી પાઈપ મારફતે ડ્રગના પેકેટ ઘુસાડવાનો પ્રયાસ કરાયો હોય છે.
૧૦ ફૂટ લાંબા પાઈપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. બીએસએફના જવાનોએ આ વિસ્તારમાં સઘન તપાસ પણ હાથ ધર્યું છે.
પાછલી પોસ્ટ