Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં કૃષિ બિલનાં સમર્થનમાં ભાજપની સહી ઝુંબેશ

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારણા અકલ પાસ કરવામાં આવ્યું જેનાં સમર્થનમાં સમગ્ર દેશમાં કૃષિ બિલ અંગે સાચી સમજણ સાથે માહિતગાર કરી જન જાગૃતિ કાર્યક્રમો યોજવાનાં ભાગરૂપે ભાજપ કિસાન મોરચા દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે સહી ઝુંબેશ સાથે જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કૃષિ બિલ અંગે માહિતગાર કરવાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, યોગેશભાઇ બદાણી, મનભા મોરી, યુવરાજસિંહ ગોહિલ, કિસાન મોરચાનાં અધ્યક્ષ ઘનશ્યામભાઇ મોણપરા, હોદ્દેદારો, આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો વિગેરે જોડાયા હત અને કૃષિ બિલનાં સમર્થનમાં સહીઓ કરી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ રાજીવભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે દેશનો અન્નદાતા સુખી થાય, દશકાઓથી બંધાયેલા જુની ઋઢીઓના બંધનમાંથી મુક્તિ થઇ પોતાની ખેત પેદાશ સ્વતંત્ર રીતે વહેંચી શકે વચેટીયાઓનાં કમિશન રાજમાંથી મુક્ત થાય તેવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા બિલને સમર્થન આપવું જોઇએ. આ અંગે ખેડુતોને સમજણ આપવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

અમદાવાદમાં રેપિડ ટેસ્ટના ૧૦ જેટલા કેન્દ્રો બંધ કરાતા પ્રજામાં રોષ

editor

यूएस ओपन : उलटफेर का शिकार हुई सिमोना हालेप

aapnugujarat

સોમનાથ દેશનું આઈકોન મંદિર બન્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1