ભારતનાં ૧૨ જ્યોતિલિંગમાંના પ્રથમ દેવાધિદેવ ભગવાન શ્રી સોમનાથ મહાદેવનું ભવ્ય – દિવ્ય શિવાલયને દેશની ડ્રિવિંગ વોટર અને સેનેટરી મિનિસ્ટ્રી દિલ્હી દ્વારા સોમનાથ મંદિરઅને તેની આસપાસનાં વિસ્તારને ભારતનાં આઈકોન તરીકે જાહેર કરવામાં આવેલ છે જેનાં પ્રથમ ચરણરૂપ મંદિરઅને તેની આસપાસના વિસ્તારોમાં ૨૪ કલાક ‘ધ ક્લોક’ સફાઈ અનએ અદ્યતન ઉપકરણોથી સેનીટેશન વ્યવસ્થા કાર્યરત પ્રાથમિક ધોરણે અમલી બની ચૂકે છે અને આ પ્રોજેક્ટ હેઠળ આસપાસનાં વિસ્તારોમાં ડસ્ટ ફ્રી અને પ્લાસ્ટિક વાન અમલીકરણ માટે નગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને સોમનાથ ટ્રસ્ટનાં સંકલનમાં કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે.
વર્ષ ૨૦૧૯ સુધીમાં આઈકોન સ્થાનકોને વિશેષ બજેટ ફાળવી વિકાસ કાર્યો નિર્માણ કરાશે જેનું સંચાલન સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા હસ્તક સંચાલન રહેશે.
રિપોર્ટર : મિનાક્ષી ભાસ્કર વૈધ
આગળની પોસ્ટ