જામનગર,તા.૨૮ :- જામનગર નજીક આવેલીમાં દર્શન ગૌશાળાના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી . જામનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગૌશાળામાં આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી ભયંકર આગના કારણે ગોડાઉનમાં રહેલો ઘાસચારાનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ગાયોના મુખેથી કોળીયો છીનવતો અટકાવવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કારખાનેદારો સહિત ગૌપ્રેમીઓએ આગ બુજાવવા તનતોડ મહેનત કારી ગૌ સેવાના સહભાગી બન્યા હતા. ચીફ ફાયર ઓફિસર કે કે . બિશનોઈ સહિતનો ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ૨૦ કલાક સુધી હજારો લીટર પાણીનો જથ્થાનો મારો ચલાવી મહા મહેનતે આગને કાબુમાં લેવાઈ હતી.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)
આગળની પોસ્ટ