હરસિધ્ધ શક્તિ પીઠ લાડોલ મહંત અશ્વિનભાઈ જાની શ્રી વિશ્વાસ જાની અને સમગ્ર ગુજરાતમાં વસતા તેમના ૩૧ ભક્તો દ્વારા કોરોનાની મહામારીમામ ઘેર બેઠા માતાજીની ભક્તિ અને મંત્ર જાપ છેલ્લા ચાર મહિના દરમિયાન બે કરોડ મંત્રો નો જાપ કરીને મહાયજ્ઞ દ્વારા મા હરસિધ્ધના ચરણોમાં અર્પણ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે વિજાપુર તાલુકાના લાડોલ હરસિધ્ધ માતા મંદિરના પરિસરમાં લાભપાંચમ થી એક મહાયજ્ઞ શરુ કરાયો જેની ૨૨ તારીખના રોજ પૂર્ણાહુતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને મંત્ર જાપ કરનાર ભકતો અને બાહ્યણો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આ મર્હયજ્ઞ યોજાયો હતો. છેલ્લાં દિવસે વાતાવરણને શુદ્ધ કરવા ૩૦ ઔષધિઓની આહુતિ આપવામાં આવી હતી અને ૧૨૫ થી વધુ પુષ્પો દ્વારા માતાજીનો પુષ્પો દ્વારા અભિષેક કરાયો હતો.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેસ આસોડીયા, વિજાપુર)