ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના માર્ગદર્શન અને સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને દિવાળીના તહેવારોને અનુલક્ષીને સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ ફરવા અને અસમાજીક પ્રવૃતિ કરતા ગુન્હેગારો ઉપર વોચ રાખી ગેરકાનુની પ્રવૃત્તિ જણાય આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સખ્ત સુચના આપેલ છે જે સુચનાના આઘારે આજરોજ એલ.સી.બી.ભાવનગરની ટીમ સીટી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પાનવાડી ચોક પાસે આવતા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વાળાને બાતમીરાહે હકીકત મળેલ કે, પાનવાડી ખારા કુવા શંકરના મંદિર પાસે મનાભાઇ બચુભાઇ ચૈાહાણ ઉભો છે અને તેની પાસે દેશી બનાવટનો તમંચો તથા કાર્ટીસ છે તેવી હકિકત મળતા જે હકીકત આઘારે જગ્યા ઉપર આવતા મનહર ચૈાહાણ ઉ.વ.૬૩ રહે. ભાવ નગર વડવા પાનવાડી ખારા કુવાનો ખાંચાવાળો મળી આવતા તેના કબજામાંથી એક દેશી બનાવટનો તમંચો તથા ૩ કાર્ટીસ જીવતા કાર્ટીસ મળી કુલ રૂ.૧૦,૩૦૦ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(૧-બી) એ મુજબનો ગુન્હો કરેલ હોય ઘોરણસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી. જાડેજા તથા હેડ કોન્સ. ઘનશ્યામ ગોહિલ તથા પોલીસ કોન્સ ચંદ્રસિંહ વાળા તથા ઇમ્તીયાજખાન પઠાણ, પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા સહિત સ્ટાફના માણસો જોડાયા હતાં.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ