Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં લાંચિયો કોન્સ્ટેબલ થયો જેલ ભેગો

તાજેતરમાં હનીટ્રેપના ગુનામા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ થઇ ત્યારબાદ એક મહિલા પીએસઆઇ તેમજ ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે. અન્ય એક ટ્રાફિક કોન્સ્ટેબલની ગાડી પચાવી લેવાના ગુનામાં ધરપકડ થઈ. તેવા જ વધુ એક પોલીસ કર્મીની ધરપકડ કરવામા આવી છે.આરોપીને માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાનું કહીને લાંચ માગનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામા આવી છે. પોલીસ કર્મીએ યુવક પાસેથી સવા લાખ રૂપિયા માંગ્યા હતા. જેમા ૨૫ હજાર પોતાના માટે અને પીઆઇના એક લાખ માંગ્યા હતા. જો કે ગુનો નોંધાતા કોન્સ્ટેબલ હવે કાયદાના સંકજામાં પુરાયો છે.સરદારનગરના તત્કાલીન પોલીસ કર્મી ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસ કર્મીએ આરોપીને માર નહી મારવા અને વરધોડો નહી કાઢવા અંગે ૨૫ હજાર પોતાના અને પીઆઈના નામે એક લાખ માંગ્યા હતા.જે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને અરજી મળતા કોલ રેકોર્ડિંગ કબ્જે કરી એફએસએલ પુરાવા એકઠા કરી ગુનો નોંધવામાં આવ્યો છે. અને લાંચ માગનાર આરોપી પોલીસ કર્મી ની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે.એરપોર્ટ પોલીસ સ્ટેશનમા નોંધાયેલી ફરિયાદ પર નજર કરીએ તો કુબેરનગર વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે ચિંટુ સોનીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ભરત ઉર્ફે ચિંટુ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો.જેની તપાસ ઉપેન્દ્રસિંહ કરી રહ્યા હતા.જેમાં તેને પોલીસ સ્ટેશનમાં માર નહી મારવા અને વરઘોડો નહી કાઢવાના રૂપિયાની માંગ કરી હતી.ઉપેન્દ્રસિંહે સરદારનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇના એક લાખ રૂપિયા અને પોતાના ૨૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી. બન્ને વચ્ચેનો ઓડીયો સામે આવતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. અને આખરે ગુનો નોંધાયો છે.સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહનો વાયરલ થયેલા ઓડીયાકાંડની તપાસ બાદ તેની બદલી તાત્કાલીક અસરથી દરિયાપુર પોલીસ સ્ટેશનના પીએસઓમાં કરી દેવામાં આવી હતી.જોકે બન્ને વચ્ચેની વાતચીતના ઓડ઼ીયો ક્લીપને વોઇસ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ માટે એફએસએલમાં મોકલવામાં આવી હતી. એફએસએલ દ્રારા વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કર્યા બાદ તેનો રીપોર્ટ પોલીસને સોંપ્યો હતો. એફએસએલના રીપોર્ટમાં ઓડીયો ક્લીપમાં કોઇ છેડછાડ કરવામાં આવી નથી.અને તે અવાજ ઉપેન્દ્રસિંહનો હોવાનું સામે આવતા અંતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

Related posts

રાજકોટમાં નકલી ઘી-તેલ બાદ હવે નકલી ટોનિક પણ બન્યું

aapnugujarat

સુરેન્દ્રનગરની ‘હત્યારી સાવકી મા’નો કેસ નહીં લડે કોઇ વકીલ

aapnugujarat

રાજકોટ : એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1