Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં રખડતા ખુટીયાયે યુવાનનો ભોગ લીધો

ભાવનગર શહેરનાં માર્ગો પર રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. છેલ્લાં એક મહિનામાં એક પત્રકાર સહિત ઢોરને કારણે બે લોકોનાં મોત નિપજ્યા છે છતાં પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી નક્કર પગલા લેવામાં આવ્યાં નથી જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર અને ખુટીયાઓએ માઝા મુકી છે. અવારનવાર લોકો ભોગ બનતાં રહે છે. ઘણીવાર લોકોને નાની મોટી ઈજા થતાં હોય છે. આજે સુભાષનગર વિસ્તારની ભોળાનાથ સોસાયટીમાં રહેતા ભરત પરમાર બાઈક લઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક ખુટીયાએ તેમને અડફેટમાં લેતા ભરતભાઈ જમીન પર પટકાયા હતાં અને ગંભીર ઈજા થવા પામી હતી. સારવાર અર્થે તુરંત જ એમને સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

કાવીઠા ગામના ખેડૂતોનો જમીન સંપાદનના વળતરમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ

editor

આગામી મહિનાથી કાર-બાઈક ખરીદવા મોંઘા બનશે

editor

સુરેન્દ્રનગરના ચુડામાં ભાજપના અનુસુચિત જાતિની અનામત સીટ માટે ચમારડી સીટના ઉમેદવાર અરુણાબેન મહીપતભાઈ વાઘેલાએ નોધાવી ઉમેદવારી અને પોતાની જીત નો વિશ્વાસ કર્યો વ્યક્ત…

editor

Leave a Comment

UA-96247877-1