શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન હેઠળના ઉડાન વિદ્યા યજ્ઞ પ્રોજેક્ટ હેઠળ લાઠી તાલુકાના ૩૬ ગામ તથા જોષીલુ બાબરા અંતર્ગત યોજના હેઠળ બાબરા તાલુકાના દરેડ, ચરખા, અમરા પરા, કટીયાણા, કોટડાપીડા, લુણકી ગામની ૩૧ આંગણવાડીની બહેનોને ક્રાફટની તાલિમ તથા ક્રાફટ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં BRC CO નિતિન ચાવડા, નલિન પંડિત, ધીરૂભાઈ ધીરુભાઈ લાઠી તાલુકાના TPO, નિમિષા બહેન CDPEO, કાશ્મીરાબહેન, સંજય તલસાણીયા, BRCના અધ્યક્ષ સલીમભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. તાલિમ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં બાલમંદિરનાં શિક્ષક પ્રિતી ભટ્ટ, ચંદ્રિકા દવે , ઉષા રાઠોડ, હીના ભટ્ટ દ્વારા ક્રાફટ તાલિમ આપવામા આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)