અમદાવાદ શહેરનાં વસ્ત્રાલ ચાર રસ્તા ઉપર અમદાવાદ ટ્રાફિક પોલીસ ‘આઈ’ ટ્રાફિક પોલીસ તથા એક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, શ્રીનિધિ સેવા ટ્રસ્ટ, પોલીસ સમનવય દ્વારા પ્રજાની જાગૃતિ અર્થે હેલમેટ પહેરો, સીટ બેલ્ટ બાંધવો અને ટ્રાફિક અંગેના નિયમોનું પાલન કરવા અંગે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રામોલ ટ્રાફિક ‘આઈ’ વિભાગના પીએસઆઈ આઈ.બી.ગામીત, પીએસઆઈ પરમાર, એએસાઈ સોલંકી, વિષ્ણુભાઈ તથા ટ્રાફિક પોલીસના સ્ટાફ, એક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર મિલન વાઘેલા, શ્રી નિધિ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને પોલીસ સમનવય ના (જય માડી) પંકજ પંચાલ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડા અને બિંદુબેન ઉપસ્થિત રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ : પ્રવિણ વેગડા, અમદાવાદ)