ચારેબાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનીતિ કરી રહી છે. ગાયમાતાની હાલત, ગૌ-આયોગમાં ગૌ શાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પર્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં ગૌશાળામાં સબસીડી મેળવવા માટે ગૌ સેવા આયોગના વરિષ્ઠ અધિકાર લાખો રૂપિયાની લાંચ લેતા પકડાયા તે દર્શાવે છે કે ભાજપ શાસકો ગાયોના સંરક્ષણ કરતી ગૌશાળાને પણ ભ્રષ્ટાચાર ભરખી ગયો છે. ગઇકાલે ગૌશાળાની સબસીડી મંજૂરી માટે લાખો રૂપિયાની લાંચ કેસ જેવા જ ગૌશાળાની મંજુરી, રાહત દરે જમીન અને સબસીડીમાં છેલ્લા ૧૫ વર્ષમાં ભાજપ સરકારે દાખવેલી ભ્રષ્ટાચારી રીતરસમો જેવી બાબતે દાખવેલી કહેવાતી સગવડવાળી ગૌભક્તિ જાહેર કરે. કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઇ છે ત્યારે ગાય માતાને નામે રાજનીતિ કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. ગાયના મોઢાનું તણખલું પણ ન ખમે તો પછી છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપની સરકારે હજારો હેક્ટર ગૌચરની જગ્યાઓ ભ્રષ્ટાચારીઓને કેમ આપી. ગોચર ભાજપે ન રહેવા દીધું તેથી ગાય પ્લાસ્ટિકની કોથરીઓ ખાવા મજબૂર બને છે અને રીબાઈ રીબાઈને મરે છે. ભાજપ સરકારના મળતીયા ઉદ્યોગપતિઓને લાખો ચોરસમીટર ગૌચરની જમીન પાણીના ભાવે આપી દેવામાં આવી ત્યારે ભાજપ ગૌભક્તિ ક્યા હતી. ભાજપ શાસનમાં ગેરકાયદેસર કતલખાના ધમધમે છે ત્યારે ભાજપની ગૌભક્તિ ક્યા છે. ભાજપ શાસનમાં બેરોકટોક લાખો કિલોગ્રામ ગૌમાંસની હેરફેર થાય છે ત્યારે ભાજપની ગૌભક્તિ ક્યા છે. ભાજપ શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૦૦થી વધુ ગૌહત્યા સહિતના મામલે ગુન્હાઓ છતાં કોઇને સજા ન થાય ત્યારે ભાજપની ગૌભક્તિ ક્યા હતી. ભાજપ શાસનમાં ઘાસચારાના અભાવે, પ્લાસ્ટિક અને પ્રદૂષિત પાણીથી ગાયોના મોત થઇ રહ્યા છે ત્યારે ભાજપ ગૌભક્તિ ક્યા છે.
પાછલી પોસ્ટ