Aapnu Gujarat
ગુજરાત

મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક

માલદે ગોહેલ, ગીર- સોમનાથ

જિલ્લા પંચાયત ગીર-સોમનાથ ઇણાજ ખાતે કૃષિ, પંચાયત, પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીશ્રી જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ પદાધિકારીઓ સમયાંતરે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવી તેમજ સરપંચો સાથે મળીને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોનું આયોજન કરવું. સરપંચોને ઓનલાઇન કામગીરીની તાલીમનું આયોજન કરવા સહિત સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટનો સમયમર્યાદા વિકાસના કામો અંગે ઉપયોગ કરવો. લોકોના પ્રશ્નોની જિલ્લાકક્ષાએ યોગ્ય રજુઆત કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, પુર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પુર્વ બીજ નિગમ ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઇ પરમાર, પુર્વ સંસદીય સચિવશ્રી જેઠાભાઇ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સરમણભાઇ સોલંકી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

editor

વાસણા વાતમ ગોગાપુરા ખાતે પક્ષી ઘર ખુલ્લું મુકાયું

editor

ગૌહત્યા મામલે કોંગ્રેસ-ભાજપ વચ્ચે મારામારી, કોંગ્રેસ પ્રમુખનો શર્ટ ફાટ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1