લાખણી તાલુકાના વાસણા વાતમ ગોગાપુરા વિસ્તારમાં આવેલ ગોગા મહારાજના મંદિરની બાજુમાં દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાની ગ્રાન્ટમાંથી ૪ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આજ રોજ શીવાભાઈ ભુરીયાના હસ્તે રીબીન કાપીને પક્ષીઘર ખુલ્લું મૂકાયું હતું તેમજ ગોગાપુરા ખાતે ગોગા મહારાજના મંદિરે આવનાર ભક્તો માટે રહેવાની તેમજ કમિટી હોલની સેવાઓ પણ આપવામાં આવી છે અને આવેલ મહેમાનોને શાલ ઓઢાડી ફુલ હાર તેમજ મોમેન્ટો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગોગા મહારાજના મંદિરમાં વર્ષોથી સેવા આપનાર વશરામ અમીરામભાઈ સિલ્વા (રાનેરવાળા) હાજર રહી આ પ્રસંગને દીપાવ્યો હતો. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા લાખણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેશ દવે જિલ્લા પંચાયત સદસ્ય સવજીભાઈ ઠાકોર તાલુકા સદસ્ય કરશનભાઈ રાજપુત સરપંચ ડાહ્યાજી, દશરથ તેજાભાઈ સોયલા તેમજ સમસ્ત શિલ્વા પરિવાર હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)