Aapnu Gujarat
ગુજરાત

પરશુરામ જન્મ જયંતિ અને ઇદના તહેવાર નિમિત્તે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

મેંદરડા શહેરમાં મુખ્ય તહેવાર એવા ભગવાન પરશુરામ ની જન્મ જયંતી અને રમજાન ઈદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થઈ શકે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેના આગમચેતીના ભાગરૂપે ખૂબ સારી બાબત કહી શકાય કે શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડા શહેરના પોલીસ સ્ટેશન ખાતે બેઠક મળી હતી ભગવાન પરશુરામ જન્મ જયંતિ અને રમજાન ઈદ બંને એકસાથે હોવાથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે.એમ મોરી ની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે બંને કોમના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા જેમાં મેંદરડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે પોતાની ફરજ બજાવી રહેલા ચંદ્રેશભાઇ ખૂંટ પરસોતમભાઈ ઢેબરીયા ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ ઉન્દ્રિશ વડગામમાં જાવેદ ભાઈ સોલંકી ગ્રામ પંચાયતના સદસ્ય શ્રવણભાઈ રજાકભાઈ રાકેશભાઈ મહેશ બાપુ તેમજ બંને કોમના અગ્રણીઓ એ મેંદરડામાં કાયમી શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી આ રીતે મેંદરડામાં પણ હિન્દુ મુસ્લિમ ના તહેવારો માં કોઈપણ બનાવ બને તે માટે બેઠક મળી

Related posts

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૫૧ કેસ નોંધાયા

aapnugujarat

નર્મદા પરિક્રમામાં ધોમધખતા તાપમાં ઉમટી જનમેદની

aapnugujarat

ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા એલએસી પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

editor

Leave a Comment

UA-96247877-1