જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે, જેતપુરથી વાડસડા જવાના રોડ પર આવેલ ભાદર નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતાં આ રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે. ખીરસરાથી વાડસડા જવાનો રસ્તો બંધ કરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ઘણાં સમયથી માંગણી કરવામાં આવી રહી છે કે, રસ્તાની જગ્યાએ પુલ બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ