વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં બાળકોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે. ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ ઘરે જ તુલસી ક્યારામાં કરાશે. બાળકોએ વંદના વાસુકિયાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર મૂર્તિઓ બનાવી છે. મૂર્તિ બનાવવા આવેલા બાળકોને પર્યાવરણ જાગૃતિ અંગે ખાસ સમજ આપવામાં આવી હતી તેમજ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા)