તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય CAA અને NRC કાયદાને સમર્થન કરવા માટે જનજાગરણ સમિતિ સાબરકાંઠા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિંમતનગર શહેરના નામ બજારો પણ સ્વયંભુ બંધ રાખી લોકો રેલીમાં જોડાયા હતાં. રેલીમાં અંદાજે ૨૦૦ ફૂટ જેટલો રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો હતો. દરેક સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અને કાયદાને સમર્થન આપ્યું હતું. કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ પણ ખડેપગે તૈનાત હતી. ઉલ્લેખનીય છે કે, પાંચ હજાર જેટલા લોકો રેલીમાં સામેલ થયા હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)