બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે,વાહુકિયા વિક્રમભાઈ દ્વારા એવો વિચાર કરવામાં આવ્યો કે જ્યારે આ કોરોનાની મહામારી ન હતી વાવાઝોડું વરસાદ ન હતો ત્યારે પણ ગરીબ વ્યક્તિઓની પરિસ્થિતિ ખરાબ હતી તો અત્યારે શું હોઈ શકે તે વિચાર કરતા ગરીબ વ્યક્તિઓને અન્ન કીટ આપવામાં આવી આ કોરોનાની મહામારી અને વાવાઝોડું વરસાદ બધી કુદરતી આફતને ધ્યાનમાં લઇ અતિ માં અતિ ગરીબ પરિસ્થિતિના વ્યક્તિઓને જેવા કે વિધવા, નિરાધાર, કેન્સર પીડિત જરૂરિયાતમંદ વ્યક્તિઓને અતિ શક્તિ પ્રમાણે પાંચ અન્ન ની કીટ બોટાદ જિલ્લાના યુવા પત્રકાર ઉમેશભાઈ ગોરાહવા ના સહયોગ દ્વારા વિતરણ કરવામાં આવી.