દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર પાકિસ્તાનને લઈને ઁસ્ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. કેજરીવાલે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના શાંતિ વાર્તાના પ્રસ્તાવ અંગે સવાલો ઉઠાવતા ટિ્વટ કર્યું છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે, પાકિસ્તાન મોદીને શા માટે જીતાડવા માગે છે? મોદીજી દેશને જણાવે કે, પાકિસ્તાનની સાથે તેમના કેટલા ગાઢ સંબંધો છે? તમામ ભારતવાસી જાણી લે કે, જો મોદીજી જીતી જશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.
એટલું જ નહીં, પરંતુ કેજરીવાલે રાફેલને લઈને પણ ટિ્વટ કર્યું છે અને સુપ્રીમ કોર્ટના આદેશના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી, ૨૦૧૯માં કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા માગે છે. તેને લઈને તે ઘણીવાર કોંગ્રેસની પાસે પ્રસ્તાવ પણ મોકલી ચુક્યા છે, પરંતુ કોંગ્રેસ તરફથી હજુ સુધી ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.