Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પરિવારનો અનુભવ નથી તેઓ બીજાની ચિંતા કરે છે : પવાર

નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીને પરિવારનો કોઇ અનુભવ નથી. તેમને એ પણ નથી ખબર કે હાલ તેમના પરિવારના લોકો કયાં છે? મોદીએ પહેલી એપ્રિલે વર્ધામાં થયેલી રેલીમાં જણાવ્યું હતું કે, પવાર, એનસીપી પરથી પોતાની પકડ ગુમાવી રહ્યા છે. તેમને કૌટુંબિક સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો આક્ષેપ કર્યો હતો કે પવારના ભત્રીજા અજીત પાર્ટી પર પોતાનું નિયંત્રણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ જ કારણથી ટિકિટ વહેંચણીમાં પણ પક્ષને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.શનિવારે શરદ પવારે વળતો પ્રહાર કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ધામાં યોજાયેલી રેલીમાં જણાવ્યું હતું કે, પવારના પરિવારમાં વિવાદ ચાલી રહ્યા છે. અજીતે નિયંત્રણ પોતાના હાથમાં લઇ લીધું છે. પવાર પરિવાર હવે વધારે સમય સુધી રહેશે નહીં. આ અંગે હું જણાવવામાં માંગુ છું કે અમે ભાઇઓ આવી જ સ્થિતિમાં ઉછર્યા છીએ જ્યાં અમારી માતા એ અમને સદાચાર શીખવ્યો છે.પવારે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ જેને પરિવારનો કોઇ અનુભવ નથી, જેને પોતાને જ ખબર નથી કે તેમનો પરિવાર કયાં છે તેઓ બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અત્યાર સુધી લોકો હારને છૂપાવવા માટે ગાંધી પરિવારને નિશાન બનાવી રહ્યા હતા, હવે મારો પરિવાર પણ આ યાદીમાં સામેલ થઇ ગયો છે.

Related posts

માત્ર એક રસગુલ્લાને કારણે લગ્ન તૂટ્યા, દુલ્હન વગર જાન પરત ફરી

aapnugujarat

૨૫ એપ્રિલે મોદી વારાણસીમાં રોડ શો કરશે

aapnugujarat

પીડબલ્યુડી કૌભાંડ : કેજરીવાલ અને અન્યો સામે ત્રણ કેસ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1