ગુજરાત કોંગ્રેસ ના જનસંપરક અભિયાનના ભાગરૂપે ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે અત્રેના વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન પુજન સોમનાથ મહાદેવ ને ગંગાજળ અભિષેક કરી ધન્યતા અનુભવી. પત્રકાર વાતચીતમાં તેમણે જણાવ્યું કે “જનસંપરક અભિયાન અંગે આજે મે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને આશીર્વાદ સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ગુજરાત બને તેવી પ્રાર્થના કરી આ અભિયાન માં સૌરાષ્ટ્ર ના પ્રશ્ર્નો ની જાણકારી મેળવીશ જેવા કે મગફળી ના ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર પીવાના પાણી તંગી, બેરોજગારી અને દરિયાકાંઠાના માછીમારો ના પ્રશ્ર્નો જેવા કે ડીઝલ – સબસીડી મળતું નથી રાજ્ય અને દેશમાં ભાજપને મેન્ડેડ મળેલ હોવા છતાં પ્રજાની રક્ષા સુરક્ષા જાળવવામાં નિષ્ફળતા રહેલ છે સહિતના પ્રજા ને સતાવતા પ્રશ્નો લડત આપશું અને આવનાર દિવસોમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા કોગ્રેસ ના કાર્યકરો પ્રજામિત્ર બની રહેશે અને આવનાર દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ મને જે જવાબદારી સોંપી છે તે અંગે કાર્યકરોને મળીશ અને જુથવાદ નહીં હોય પરંતુ બુથવાદ હશે અને પ્રજાના દુઃખ દુર કરવા લડત આપીશું. સોમનાથ દર્શનમાં તેમની સાથે સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાં ધારાસભ્ય સોમાભાઈ પટેલ વેરાવળ કોગ્રેસ અગ્રણી ઓ દિપક દોરીયા જગમાલભાઇ વાળા મનસુખભાઇ ગોહેલ સાથે રહ્યા હતા.
ભાસ્કર વૈધ, સોમનાથ