Aapnu Gujarat
Uncategorized

વઢવાણ વાડલા રોડ સિધ્ધ ભાદા હનુમાનની જગ્યાએ ભાદાવાળી મેલડી માતાનો નવચંડી યજ્ઞ ધામધુમથી યોજાયો

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ તાલુકાના વાડલા રોડ પર આવેલ જુનાગઢ અખાડાની જગ્યામાં સિધ્ધ ભાદા હનુમાનજીના મંદીર પાસે ભાદાવાળી મેલડી માતાજીના મંદીર ખાતે રતનપર દતાત્રી મંદીર અને સિધ્ધ ભાદા હનુમાનજીના મંદીર સહિત ગૌ શાળાનું સંચાલન કરતા મહંત શ્રી ગંગેશ્વર ભારતી અને મહંત કેશવ ભારતી તેમજ બ્રહ્રાલીન સોમ ભારતી સહિતના બાપુના સાનિધ્ય હેઠળ ભાદાવાળી મેલડી માતાજીનું સ્થાપન કરી અનેક ભુદેવોએ મંત્રોચાર સાથે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આહુતિ આપવા આવી હતી

તેમજ આ મેલડી માતાજીના નવચંડી યજ્ઞની ઉજવણીમાં સુરેન્દ્રનગર રતનપર જોરાવનગર વઢવાણ સહિત વાડલા ગામ વિસ્તારના ગ્રામજનો સહિત વડીલો ભાઈઓ બહેનો તેમજ નાના નાના ભુલકાઓ સહિત ધર્મ પ્રેમી ભાવી ભક્તોએ હર્ષોલ્લાસ ભેર મેલડી માતાજીના નવચંડી યજ્ઞનો લ્હાવો લેવા બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા તેમજ આ ઉજવણી સિધ્ધ ભાદા હનુમાનજીના ભાવી ભક્તો અને સંતો મહંતો સહિત મંદીરના કર્તાહર્તા આયોજકો દ્વારા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવ્યું હતું તેમજ બહોળી સંખ્યામાં ઉમટી પડેલા ભાવી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો

Related posts

GST ની અમલવારી અને તેની સમસ્યા અંગે વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરવા તા.૧૪-૭-૨૦૧૭ના રોજ સર્કીટ હાઉસ જામનગર ખાતે  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા આવશે

aapnugujarat

सोशल मीडिया जरूरी है, लेकिन निजता भी महत्वपूर्ण : अमायरा दस्तूर

aapnugujarat

असम में बारिश का कहर

editor

Leave a Comment

UA-96247877-1