Aapnu Gujarat
Uncategorized

GST ની અમલવારી અને તેની સમસ્યા અંગે વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરવા તા.૧૪-૭-૨૦૧૭ના રોજ સર્કીટ હાઉસ જામનગર ખાતે  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા આવશે

‘‘એક દેશ – એક કર’’ની વિભાવનાને સિધ્ધ કરતાં સૌથી મોટા આર્થિક સુધારાનો દેશ સાક્ષી બનેલ છે. GST ની અમલવારી કરીને શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશભરમાં હિંમતનો પરચો આપેલ છે. આટલા મોટા કર અમલીકરણમાં અનેક સમસ્યા આવે તે સ્વાભાવિક છે. આ મુશ્કેલી અને પ્રશ્નો સાંભળવા અને ચર્ચા કરવા ભારત સરકારે દરેક રાજયમાં કેન્દ્રીય મંત્રીશ્રીઓને મોકલવામાં આવેલ છે.

આવા જ ઉપક્રમે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૧૪/૦૭/૨૦૧૭ના રોજ જામનગર મુકામે આવી રહ્યા છે. સર્કીટ હાઉસ જામનગર ખાતે સવારે ૧૧ કલાક થી ૧૫ કલાક દરમિયાન વિવિધ વેપારી સંગઠનો સાથે બેઠકો યોજી તેમની સમસ્યા જાણવા અને તેનો શકય ઉકેલ લાવવા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે હાજર રહેનાર છે.

વેપારી મંડળોની સમસ્યા જાણી નીતિ વિષયક બાબતોના જરૂરી શક્ય ઉકેલ માટે GST કાઉન્સિલ સમક્ષ રજુ કરશે.

Related posts

રાજકોટ ગવરીદડ ગામે નર્મદા કેનાલમાં ભંગાણ

aapnugujarat

હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન

editor

મહાસફાઇ અભિયાનનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1