Aapnu Gujarat
મનોરંજન

‘મારા મૌનને મારી નબળાઈ ન સમજી લેતા…’ ‘રોશનભાભી’ની Asit Kumarr Modiને ચેતવણી

15 વર્ષથી રોશનભાભીના રોલમાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો છોડી દીધો છે. એક્ટ્રેસે પ્રોડ્યૂસર આસિત મોદી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી આ પરેશાનીનો સામનો કરી રહી હતી અને આ બધું એટલા માટે સહન કરી રહી હતી કારણ કે તેને નોકરી જવાનો ડર હતો. આ સિવાય પૈસા, નામ અને ખ્યાતિ તેને આ શો દ્વારા મળી છે તેમજ આજે તે જે કંઈ છે તેના કારણે છે. તે કંઈ ખરાબ કરવા માગતો નહોતી. પરંતુ સ્થિતિ હદ બહાર જતાં રહેતા તેણે પોતાનું મોં ખોલવાનો નિર્ણય લીધો હતો. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ક્લિપ શેર કરી છે અને TMKOCના મેકર્સને મજબૂત મેસેજ મોકલ્યો છે.

વીડિયોમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલ કહી રહી છે કે ‘મૌનને મારી નબળાઈ ન સમજતા. હું એટલા માટે મૌન છું કારણ કે મારામાં રીત છે. સાચું શું છે તે ભગવાન જાણે છે. યાદ રાખ, તેના ઘરમાં મારા કે તમારામાં કોઈ ફરક નથી’. આ સાથે કેપ્શનમાં લખ્યું છે ‘સત્ય બહાર આવશે અને ન્યાય મળશે’. આ અંગે યૂઝર્સને અલગ-અલગ રિએક્શન સામે આવ્યા છે. કેટલાકે તેને સપોર્ટ આપ્યો છે તો કેટલાકે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.

એક યૂઝરે લખ્યું છે ‘તમે તો સીધા મહેતા સાહેબ બની ગયા’, એક યૂઝરે લખ્યું ‘શું કરી રહ્યા છો મેડમ? આ બધું સારું લાગે છે?’, એક યૂઝરે લખ્યું ‘મને એક વાત સમજાતી નથી. તે ઘણા વર્ષ સુધી કામ કર્યું. જો તને સમસ્યા જ હતી તો પછી તારે ફરીથી જોઈન કરવું જોઈતું નહોતું. અન્ય એકે લખ્યું ‘તમારા પ્રત્યે કોઈ નફરત નથી. પરંતુ 2019માં તમારું શોષણ થયું હતું તો આ વાત હવે કેમ યાદ આવી? અમને ખબર છે કે સેલેરી અંગે પણ ઈશ્યૂ હશે. તેના કારણે અન્યએ પણ શો છોડ્યો છે. સાચું શું છે તે તો ભગવાન જ જાણે છે’. એક્ટ્રેસના એક ફેને તેને સપોર્ટ આપતાં લખ્યું ‘TMKOCનો અંત આવી ગયો છે. અમે તમને પ્રેમ કરીએ છીએ, લડાઈ લડતા રહેજો’, એક ફેને લખ્યું ‘નિડર જેની. અમે તારી સાથે છીએ. સત્ય બહાર આવશે. ગુનેગારોને સજા મળશે. આ દેશના કાયદામાં વિશ્વાસ રાખજો’ એકે લખ્યું ‘TMKOCની ટીમને અંદરોઅંદર બની નથી રહ્યું અને દુનિયાને પ્રવચન આપી રહ્યા છે’.

જેનિફરના ‘તારક મહેતા…’ના મેકર્સ પર આરોપ લગાવ્યા બાદ પ્રોડ્યૂસર આસિત મોદીએ પ્રતિક્રિયા કહ્યું હતું કે ‘આ ખોટા અને પાયાવિહોણા આરોપો છે અને તેમા કોઈ સત્ય જ નથી. તે માત્ર મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મારું અસલી રિએક્શન છે અને હું તેને કવર કરવા માટે કોઈ બહાના ધરી રહ્યો નથી. હું રિયલ લાઈફમાં કેવો છું સૌ જાણે છે. અમે તેને શો અને અમારી ટીમમાંથી કાઢી મૂકી હતી. અમારા ડિરેક્ટર અને ટીમે તેને શોમાંથી નીકળી જવા કહ્યું હતું. અમારી પાસે દરેક પુરાવા છે અને હું આ એમ જ નથી કહી રહ્યો. મારું પ્રોડક્શન હાઉસ તમને ખૂબ જલ્દી બધા પુરાવા અને ડોક્યુમેન્ટ્સ આપીશું’.

Related posts

રણબીર કપૂરે તખ્ત ફિલ્મ ઠુકરાવી…!!

aapnugujarat

કોરોના મહમારી અને લોકડાઉનની વચ્ચે અર્જુન કપૂરે એડ માટે શૂટિંગ કર્યું

editor

બાદશાહોનું શુટિંગ હાલમાં ઝડપથી જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1