રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા જ ગુજરાતના હજારો વિઘાર્થીઓ ફસાયા યુક્રેનમાં છે. ત્યારે પાટણ જિલ્લાના 100 થી વધુ વિઘાર્થીઓ યુક્રેનના અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે.મેડિકલ (MBBS )માં અભ્યાસ કરતા પાટણના 30 થી વઘુ અને જિલ્લાના 100 કરતા વધુ વિઘાર્થીઓ ફસાયા છે
.ત્યારે ગત રાત્રિ એ રાધનપુરના બંધવડ ગામની એક વિદ્યાર્થીની અને રાધનપુર શેરબાગનો હર્ષ દરજી પણ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે અને હાલના સંજોગોને જોતા તેઓએ પણ ભારત પરત ફરવા તેમના પરિવાર સાથે તેઓએ વાતચીત કરી હતી…તેઓના પરિવાર દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવી હતી