ગુજરાત રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાવવામાં કેશુભાઈ પટેલ સહિતનાં ઘણાં નેતાઓ અને અગ્રણીઓનો સિંહફાળો રહેલો છે તેમ બોટાદમાં ભાજપની વિજયી પતાકા લહેરાવવામાં અને ભાજપનાં વિચારો લોકો સુધી પહોંચાડવામાં સિંહફાળો આપનારાં એવા ઉજમશીભાઈ ઝવેરભાઈ કણઝારીયાનું તા.૨૪-૧૧-૨૦૧૮નાં રોજ નિધન થયેલ છે. ઉજમશીભાઈનો જન્મ તા. ૨૨-૦૨-૧૯૩૪નાં રોજ થયો હતો.
ધંધુકાનાં પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્માએ ઉજમશીભાઈ ઝવેરભાઈ કણઝારીયાનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં તેઓને શ્રધ્ધાંજલિ પાઠવી તેમનાં પરિવારને સાંત્વના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉજમશીભાઈનાં પુત્ર મહાસુખભાઈ બોટાદ નગરપાલિકાનાં પ્રમુખ છે.
પાછલી પોસ્ટ