Aapnu Gujarat
Uncategorized

વાળદ સમાજ ભાવનગર દ્વારા ઘોઘા બાળનાથ મહાદેવ મંદિરના લાભાર્થે સમુહ લગ્ન મહોત્સવ

સમસ્ત વાળદ સમાજ ભાવનગર દ્વારા ઘોઘા બાળનાથ મહાદેવ મંદિરના લાભાર્થે સમુહ લગ્ન મહોત્સવ શહેરના અધેવાડા પાસે ફુલજરીયા હનુમાન મંદિર ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો જેમાં 10 નવદંપતીઓએ પ્રભુતામા પગલા પાડ્યા હતા. સમાજના શ્રેષ્ઠીઓ એ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. જાણીતા કલાકાર અનિલભાઈ વકાણી, સ્મૃતિબેન મફતભાઈ સોલંકી ,લોક સાહિત્ય ધરમ ભાઇ વંકાણી વિગેરે એ અંકુર ઓરકેસ્ટ્રાના સંચાલન તરે સંગીતની રમઝટ બોલાવી હતી.

સમાજ ના અધ્યક્ષ મનહરભાઇ રાઠોડ, પ્રમુખ પરેશભાઇ ચૌહાણ, મુખ્ય આયોજકો રાજુભાઈ પરમાર ,રમેશભાઇ મુજપરા વગેરેની ટીમ દ્વારા સમૂહલગ્નનું સફળ આયોજન થયું હતું. સમૂહ લગ્નમાં જોડાયેલ કન્યાઓને આયોજકો અને દાતાશ્રીઓ દ્વારા કરિયાવરમાં અનેક ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.તેમ વિપુલભાઈ હિરાણી ની યાદીમાં જણાવાયું છે

Related posts

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટનો પહેલો ફેઝ પુરો થતાં હજુ એક વર્ષનો સમય લાગશે

editor

એસટીમાં ગૌમાંસની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઈ

aapnugujarat

શિયાળો જમતા જ વિદેશી પક્ષીઓનો જમાવડો

editor

Leave a Comment

UA-96247877-1