શંખેશ્વર તાલુકાના બિલીયા ગામના શંકરભાઈ ગજ્જર ગુમ થયા હતા તેમની શોધખોળ બાદ લાશ મળી આવી.પાંચ લોકો મળી હત્યા કરી લાશને પથ્થર વડે બાંધી કચ્છ બ્રાંચ નર્મદા કેનાલમાં મઢુત્રા ગામ પાસે ફેંકી દીધી હતી.સાંતલપુર પોલીસે ગુમસુદા યુવાનની કેનાલમાં તપાસ કરતા ત્રીજા દિવસે લાશ મળી આવી હતી.
શંખેશ્વર તાલુકાનાં બિલીયા ગામનો અને હાલ મહેસાણા ખાતે રહેતો શંકર ગજ્જર નામનો યુવાન થોડા દિવસ અગાઉ ગુમ થયો હતો યુવાનનું મોબાઈલ લોકેશન સાંતલપુરનાં મઢુત્રા ખાતે થી મળી આવતા પોલીસે તપાસ આરંભી .પોલીસનાં હાથે ઝડપાયેલ શકમંદ ઈસમે ગુમ યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનુ કબુલતા કરતા મઢુત્રા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી .પોલીસે સ્થાનિક તરવૈયાઓની અને ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ બોલાવવી સ્થાનિક લોકોની મદદથી કેનાલમાં તપાસ હાથ ધરી હતી તપાસ બાદ શંકર ગજ્જરની લાશ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .