Aapnu Gujarat
Uncategorized

ધ્રાગધ્રા હાઇવે પર પથ્થર ભરેલા ટ્રકની અડફેટે બાઇક સવાર નવદંપતિનુ મોત

ધ્રાગધ્રા હાઇવે પર વારંવાર અકસ્માત થવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે હાઇવે નજીક ધ્રુમઠ ચોકડી પર વધુ એક અકસ્માતમાં બાઇક સવાર દંપતિના મોતની વિગતો સામે આવી છે જેમા મુળ પાટડી તાલુકાના વીસાવડી ગામના અને હાલ મોરબી રહેતા ભગવાનગીરી ગૌસ્વામીના એકના એક ૨૨ વષિઁય દિકરા ધ્રુવગીરી ગૌસ્વામીના બે મહિના પુવેઁ શંખેશ્વર ખાતે રહેતી ઉર્વશી બેન સાથે થયા હતા

અને હાલ ધ્રુવગીરી ગૌસ્વામી શંખેશ્વર પોતાની પત્નિને બાઇક પર લઇને મોરબી તરફ જવા નિકળતા હોય ત્યારે બપોરના સમયે ધ્રુમઠ ચોકડી નજીક પથ્થર ભરેલી ટ્રક નંબર GJ 1 BT 8876 વાળી સાથે અકસ્માત થતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત થયુ હતુ

જ્યારે યુવતિને વધુ પડતી ગંભીર ઇજાઁઓ થતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અથેઁ લઇ જતા રસ્તામાં જ તેઓનુ મોત થયુ હતુ જ્યારે બંન્નેની લાશને પીએમ અથેઁ સરકારી હોસ્પિટલ ખસેડી પોલીસે તેઓના પરિવારજનોને જાણ કરી હતી જેને લઇ પરીવારજનો ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે દોડી આવી એકને એક પુત્ર તથા પુત્રવધુનુ શબ જોઇને માથા પર આભ તૂટી પડ્યુ હતુ.

Related posts

બોટાદના પ્રવેશ દ્વાર પર બની રહેલ અંડરબ્રિજનું કામ ક્યારે પૂરું થશે તેવી લોકચર્ચા

editor

પાર્ટી નેતાની મોત પર ભડકેલા કુમારસ્વામીનો હત્યારાઓને ‘દર્દનાક’ મોત આપવાનો આદેશ

aapnugujarat

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગુહ મંત્રી વિપુલ ચૌધરી દ્વારા માણસા તાલુકાના ઈશ્વરપુરા મુકામે અબુદા સેના ના નેજા હેઠળ સભાનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1