ધ્રાગધ્રા હાઇવે પર વારંવાર અકસ્માત થવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે હાઇવે નજીક ધ્રુમઠ ચોકડી પર વધુ એક અકસ્માતમાં બાઇક સવાર દંપતિના મોતની વિગતો સામે આવી છે જેમા મુળ પાટડી તાલુકાના વીસાવડી ગામના અને હાલ મોરબી રહેતા ભગવાનગીરી ગૌસ્વામીના એકના એક ૨૨ વષિઁય દિકરા ધ્રુવગીરી ગૌસ્વામીના બે મહિના પુવેઁ શંખેશ્વર ખાતે રહેતી ઉર્વશી બેન સાથે થયા હતા
અને હાલ ધ્રુવગીરી ગૌસ્વામી શંખેશ્વર પોતાની પત્નિને બાઇક પર લઇને મોરબી તરફ જવા નિકળતા હોય ત્યારે બપોરના સમયે ધ્રુમઠ ચોકડી નજીક પથ્થર ભરેલી ટ્રક નંબર GJ 1 BT 8876 વાળી સાથે અકસ્માત થતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત થયુ હતુ
જ્યારે યુવતિને વધુ પડતી ગંભીર ઇજાઁઓ થતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અથેઁ લઇ જતા રસ્તામાં જ તેઓનુ મોત થયુ હતુ જ્યારે બંન્નેની લાશને પીએમ અથેઁ સરકારી હોસ્પિટલ ખસેડી પોલીસે તેઓના પરિવારજનોને જાણ કરી હતી જેને લઇ પરીવારજનો ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે દોડી આવી એકને એક પુત્ર તથા પુત્રવધુનુ શબ જોઇને માથા પર આભ તૂટી પડ્યુ હતુ.