Aapnu Gujarat
Uncategorized

વેરા વધારા મામલે જિલ્લા કલેકટરને આપવામા આવ્યુ આવેદનપત્ર

ગોધરાનગર પાલિકા દ્વારા વેરામા ૪૦ ટકાનો ભાવ વધારો કરવા મામલે જાગૃત નાગરિકો વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ,એક તરફ કોરોનામાં ધંધા રોજગારને માઠી અસર પહોચી છે.ત્યારે આ રીતનો વેરાનો ભાવવધારો મોંઘવારીમાં ઘટાડવામા આવે તેવી રજુઆત કરવામા આવી છે.જિલ્લા કલેકટરને આપવામા આવેલા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે લોકોની આવકમાં ઘટાડો થયો છે.કોરોનાને કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.

બેરોજગારી પણ વધી ગઈ છે.લોકોની આર્થિક સ્થિતિ દયનિય છે.ઘર ચલાવવુ પણ અઘરૂ બન્યુ છે.સમગ્ર પરિસ્થિતિ થી અજાણ હોવા છતા પાલિકા દ્વારા માનસિક ત્રાસ આપવા માટે વેરા વધારવામા આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.સત્તાના મદમા બેઠેલા લોકો અણ સમજ્યા નિર્ણયો લઈને ગોધરાની જનતાને ખુબ મોટુ નુકસાન કરેલ છે.૪૦ ટકાનો વધારો એ સામાન્ય વધારો ન કહેવાય.આગામી સમયમાં પાલિકા અને લોકો વચ્ચે ઘર્ષણ ઉભા થશે.તેમ પણ જણાવાયુ હતુ, ઉપસ્થિત લોકો દ્વારા વેરા વધારો પરત ખેચવા સુત્રોચ્ચાર કર્યા હતા.

Related posts

ખીરસરા ગામની નદીમાં ઘોડાપુર

editor

રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનાં કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં શંકરસિંહ વાઘેલા મીડિયાથી અંતર જાળવ્યું

aapnugujarat

રાજકોટની એઇમ્સ ૧૨૫૦ કરોડના ખર્ચથી તૈયાર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1